સૃષ્ટિની રચના માટે ભગવાન શિવે સતીને પ્રગટ કર્યા. માતા સતી એ પ્રજાપતિ દક્ષને ઘરે જન્મ લીધો. એમના લગ્ન ભગવાન શિવ સાથે થયા. પ્રજાપતિ દક્ષને એમના જમાય ભગવાન શિવ સાથે અરુચિ હોવાને કારણે એક યજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞમાં ભગવાન શિવને અપમાનિત કરવા આમંત્રણ ના આપ્યું. માતા સતી એમના પિતાના યજ્ઞ માં વગર આમંત્રણે જ ગયા. ત્યાં સતી ભગવાન શિવનું અપમાન થતું ના જોઈ શક્યા અને હવનના યજ્ઞકુંડમાં કૂદી ગયા અને પોતાની આહુતિ આપી દીધી.
આ ઘટનાને કારણે ભગવાન શિવ ખુબજ ક્રોધિત થયા. તેઓ સતીના શરીરને ખભા પર લઈને તાંડવ નૃત્ય કરવા લાગ્યા. ચારે બાજુ હાહાકાર મચી ગયો. સૃષ્ટિને પ્રલય થી બચાવવા માટે ભગવાન વિષ્ણુ એ સુદર્શન ચક્રથી સતીના શરીરના એકાવન ભાગ કરી નાખ્યા. તે ટુકડાઓ જ્યાં જ્યાં પડયા ત્યાં ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઇ.
માતા સતીએ પોતાને યજ્ઞકુંડમાં કુદતા પહેલા એ કામના કરી હતી કે બીજા જન્મ માં પણ ભગવાન શિવ જ એમને પતિ તરીકે મળે. સતીના જતા રહેવા બાદ ભગવાન શિવ વૈરાગી બની ગયા. સૃષ્ટિ પાર તારકાસુરનો આતંક વધી ગયો હતો. એમને બ્રહ્માજી પાસે થી એવું વરદાન લીધું હતું કે ભગવાન શિવ નો પુત્ર ના હાથે જ એમનું મૃત્યુ થઇ શકે બીજું કોઈ મારી શકે નહિ. દેવો એ ભગવાન શિવને બધાના હિત માટે બીજા લગ્ન માટે તૈયાર કર્યા. હિમાલયના ઘરે સતી એ બીજો જન્મ લીધો અને પાર્વતી ઉમાના સ્વરૂપમાં પ્રખ્યાત થયા. માતા પાર્વતી ઉમા એ કઠોર તપશ્યા કરી અને એમના લગ્ન ભગવાન શિવ સાથે થયા. એમના પુત્ર કાર્તિક ના હાથે તારકાસુર નો વધ થયો.
માં સતી ના શરીરના ભાગો માંથી 52 શક્તિપીઠો બન્યા. જયારે ઊંઝા માં બીજા અવતાર માં ઉમિયાની સ્થાપના ભગવાન શિવે કરી એ એમનું અખંડ સ્વરૂપ છે. જેની આરાધના થી બધાની મનોકામના પૂર્ણ થાય છે.
ભગવાન શિવ રાક્ષસોને મારવા માટે ઉમા સાથે ગયા. સરસ્વતી નદીને કિનારે એમણે માતા ઉમાને ઉતાર્યા. ત્યાં ઉમા એ માટીના 52 પૂતળા બનાવ્યા. ભગવાન શિવે ત્યાં આવીને એ પૂતળાંઓને જીવન આપ્યું. જે કડવા પાટીદારના 52 શાખાઓના આદિપુરુષ થયા. માં ઉમિયા કડવા પાટીદારની કુળદેવી બની. એમને સુખી, સમૃદ્ધ તથા આબાદ કરવા માટે તથા યાદ કરવા પર સહાયતા કરવા માટેના આશીર્વાદ આપ્યા. ભગવાન શિવ એ ઉમાપુર માં માં ઉમા ની સ્થાપના કરી.
પાટીદારો આર્ય છે. તે મધ્ય એશિયા થી પંજાબ આવ્યા. અને ત્યાં થી જમીન અને પાણી જોઈ ને વિવિધ જગ્યાઓએ વસવાટ માટે ગયા. પંજાબ માં યુદ્ધથી પરેશાન થઇ શાંતિપ્રિય પાટીદારો ગુજરાત માં વસ્યા. બીજી બાજુ ગંગા યમુનાના મેદાનો પછી યુ. પી., બિહાર નેપાળ સુધી વસ્યા. કોઈક કોઈક મધ્ય પ્રદેશ થી મહારાષ્ટ્ર થઇ તામિલનાડુ સુધી વસ્યા. ગુજરાત માં જમીનો રાખવા વાળા પાટીદારો બન્યા. પટેલો જ્યાં જ્યાં ગયા માં ઉમિયાની પૂજા અર્ચના કરતા રહ્યા.
પ્રચલિત કથા અનુસાર માં ઉમિયાની સ્થાપના ઊંઝા માં ભગવાન શિવ પોતે કરી છે. વિક્રમ સવંત 212 માં રાજા વ્રજપાલસિંહજીએ મંદિર બનાવડાવ્યું હતું. રાજા અવનીપત એ પણ સવા લાખ નાળિયેર હોમીને કૂવો બનાવીને ઘી ભરીને મોટો યજ્ઞ કર્યો હતો. ઊંઝામાં માં ઉમિયાનું મંદિર બન્યું છે. ત્યાં દર આસો સુદ 8 ના દિવસે પલ્લી ચડાવવામાં આવે છે